AhmedabadGujaratTrending News

નર્મદા ચોંકાવનારી ઘટનાઃ પ્રેમી સાથે મહિલા અને 3 બાળકોનો આપઘાત, સમગ્ર પંથકમાં ચકચાર

નર્મદા મુખ્ય નહેરના પ્રેમી સાથે મહિલાએ 3 બાળકો સાથે કર્યો આપઘાત, 3 મૃતદેહ મળી આવ્યા, 2ની શોધ ચાલુ




  • થરાદમાં નર્મદા મુખ્ય કેનાલમાં સામૂહિક આત્મહત્યા
  • ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ આત્મહત્યા કરી
  • નહેરમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા




ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાના બનાવોમાં અચાનક વધારો થયો છે. કેટલાક દેવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે તો કેટલાક ઘરવિહોણા થવાથી કંટાળી જીવન જીવી રહ્યા છે. પ્રેમમાં પાગલ બનેલા યુવક-યુવતીઓ પણ છેલ્લો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.




બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈને આત્મહત્યા કરી લીધી છે. કેનાલમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે પ્રેમી અને મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે.




ઘટનાની જાણ થતા આસપાસના ગામડાના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પ્રેમીએ બાળકો સાથે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હડાદ વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્રેમી અને મહિલાના મૃતદેહને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે જ્યારે બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

Related Articles

Back to top button