સુરતમાં પત્નીએ કરી આપઘાત, હથેળી પર લખેલી સુસાઈડ નોટથી પતિનો પોટલો ફાટ્યો

સુરતમાં અવારનવાર આપઘાતના બનાવો સામે આવે છે. લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ગીતાનગર સોસાયટીમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.
સુરતઃ સુરતના પરવત ગામે ગીતાનગર સોસાયટીમાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાએ આપઘાતનું કારણ ડાબા હાથે પેન વડે લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરતમાં અવારનવાર આપઘાતના બનાવો સામે આવે છે. લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ગીતાનગર સોસાયટીમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પતિ એટલો ત્રાસ આપતો હતો કે મહિલાનું જીવન ઝેર બની ગયું હતું. સીતા અને પ્રવીણના લગ્ન વર્ષ 2014માં થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે. લગ્નજીવનના ત્રણ વર્ષ સુખેથી પસાર થયા. જોકે ત્રણ વર્ષ બાદ મહિલાને તેના પતિ પ્રવીણ દ્વારા વારંવાર માર મારવામાં આવતો હતો. પતિ દહેજમાં કંઈ કેમ નથી લાવી તેમ કહીને પત્ની સીતા પર શંકા કરતો હતો.
2018 માં, જ્યારે તેની માતા અને ભાઈ તેની પત્ની સીતા વિશે પૂછવા આવ્યા, ત્યારે પતિ ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને માર્યો. જેથી પત્ની તેના પિતાના ઘરે રહેવા ગઈ હતી. જે દરમિયાન તે લગભગ એક મહિના સુધી રહી હતી. જે બાદ પતિ સાસરે જઈને સમાધાન કરાવી પત્નીને સુરત લઈ આવ્યો હતો. જો કે ત્યારબાદ પણ પતિ અવારનવાર ત્રાસ આપતો હતો અને ફોન પણ આપતો ન હતો. અને વારંવાર માર મારતો હતો. આ બધાથી કંટાળીને પત્ની સીતાએ 24 જાન્યુઆરીના રોજ ડાબા હાથમાં પેન વડે સુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક મહિલાના ડાબા હાથે હિન્દીમાં લખ્યું હતું, ‘મુજે મેરા પતી બહુત ખતે હૈ… મેરી કોઈ ગલતી નહીં હૈ મેં જીના ચાહતી હું પર ઈતની ભસ્તી મેં કૈસે જીગી’, આવું લખાણ લખીને પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. . સમગ્ર બનાવ અંગે સીતાના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ઉશ્કેરણીનો ગુનો નોંધી પતિ પ્રવીણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.