દ્રૌપદી મુર્મુ બાદ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પણ સ્થગિત કરવામાં આવ્યો હતો

ગુજરાતમાં મેઘ તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. તેઓ 15 જુલાઈના રોજ ગુજરાત આવવાના હતા. ભારે વરસાદ અને પૂરની સ્થિતિની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં વાદળો ઘેરાયા છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. તેઓ 15 જુલાઈએ ગુજરાત આવવાના હતા. ભારે વરસાદ અને પૂરની સ્થિતિની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ પણ સ્થગિત
બીજી તરફ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને કારણે દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાની હતી. તેમની મુલાકાતને પગલે કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે PM મોદી 15 જુલાઈએ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. તેમજ સાબર ડેરીના કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધી હતી. પરંતુ હવે તેમનો કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો છે.
મહેસૂલ મંત્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં SEOC તરફથી મહેસુલ મંત્રી દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાઓની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી તાજ મેળવ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં ગઈકાલની સરખામણીએ આજે ઓછો વરસાદ થયો છે. આવતીકાલે રાજકોટ, જામનગર, કચ્છમાં રેડ એલર્ટ છે. તંત્ર આજે સાંજ પછી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે શરૂ કરશે. NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 511 લોકોને બચાવી લેવાયા છે. NDRFએ નર્મદાના કરજણ નદીના પટમાં 21 લોકોને બચાવ્યા છે. ભારે વરસાદના કારણે 27,896 લોકોનું સ્થળાંતર થયું છે. હાલમાં એસટીના 14610 રૂટમાંથી માત્ર 73 જ બંધ છે. વીજળી પડવાથી અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. વરસાદમાં અત્યાર સુધીમાં કુલ 69 લોકોના મોત થયા છે.