SportsTrending News

IND vs ENG: ટેસ્ટ મેચ પહેલા જ કોરોના સંક્રમિત થયો કેપ્ટન રોહિત શર્મા, BCCIએ આપ્યું હેલ્થ અપડેટ

રોહિત શર્મા કોવિડ પોઝિટિવઃ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલા જ આંચકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો છે. હાલમાં રોહિતને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રમી શકશે કે કેમ તેનો આધાર તેની રિકવરી પર છે. મહત્વનું છે કે, ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.

  • રોહિત શર્મા રવિવારે RT-PCR ટેસ્ટ કરાવશે.
  • રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા કોરોનાથી સંક્રમિત હતો.
  • BCCIની મેડિકલ ટીમ હાલમાં રોહિત શર્માની દેખરેખ કરી રહી છે.
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ 1 જુલાઈથી રમાવાની હતી અને તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે યોજાયેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં રોહિત શર્મા કોરોના માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. રોહિત શર્મા હાલમાં હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. રોહિત શર્મા રવિવારે RT-PCR ટેસ્ટ કરાવશે.

    સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં મહાન ઈતિહાસ રચ્યો, આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

    રોહિત 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં રમી શકશે કે કેમ તે તેના પર નિર્ભર છે કે તે કેટલી ઝડપથી સ્વસ્થ થાય છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મીડિયાને જણાવ્યું હતું કે, “રોહિત શર્મા હાલમાં ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેની સીટી વેલ્યુ જાણવા માટે રવિવારે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. લાંબા સમયથી ફોર્મમાં પાછા આવવાનો પ્રયાસ કરી રહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચના ત્રીજા અને અંતિમ દિવસે 67 રન બનાવ્યા હતા. દિવસની શરૂઆતમાં એક વિકેટે 80 રન બનાવ્યા બાદ ભારતે રમતના અંત સુધીમાં 92 ઓવરમાં સાત વિકેટે 364 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આઠ વિકેટે 246 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં લેસ્ટરશાયરનો સ્કોર 244 રન હતો. કોહલીએ 98 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 67 રન ફટકાર્યા હતા. કોહલી ઉપરાંત જાડેજાએ 56 અને શ્રેયસ અય્યરે 62 રન બનાવ્યા હતા.

    ક્રિકેટ ક્લાસિક: કપિલ દેવનો એક શબ્દ ‘ચમત્કાર’, ભારતે રચ્યો ઈતિહાસ

    1 જુલાઈથી શરૂ થતી ટેસ્ટ મેચો ગયા વર્ષે રદ કરાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ગયા વર્ષે ચોથી ટેસ્ટ બાદ ભારતીય કેમ્પમાં તિરાડને કારણે શ્રેણી મોકૂફ રાખવામાં આવી હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.

    Related Articles

    Back to top button