SportsTrending News

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ અચાનક ટીમમાંથી બહાર

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક અને વર્લ્ડ કપનો સૌથી સફળ બોલર હવે ટીમની બહાર છે. અમે વાત કરી રહ્યા છીએ જસપ્રીત બુમરાહની. બુમરાહની વર્લ્ડ કપ ટીમમાંથી અચાનક બહાર થવાથી ટીમ ઈન્ડિયાની સાથે ક્રિકેટ પ્રેમીઓને પણ મોટો આંચકો લાગશે. BCCI સત્તાવાર જાહેરાત કરશે. પીટીઆઈને જાણવા મળ્યું છે કે જસપ્રીત બુમરાહ પીઠના તાણના ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.


T20 વર્લ્ડ કપને 1 મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રિત બુમરાહ પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ ઈજામાંથી બહાર આવવા માટે તેને સર્જરીની જરૂર નહીં પડે પરંતુ તે 4થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ઈજાના કારણે એશિયા કપમાં ભાગ લઈ શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં ડેથ બોલિંગ ભારત માટે વર્લ્ડ કપમાં સૌથી મોટી ચિંતાનો વિષય બની રહેશે.


IPLની છેલ્લી સિઝનમાં કેવું રહ્યું પ્રદર્શન?


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી સિઝનમાં બુમરાહનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેણે 14 મેચમાં માત્ર 15 વિકેટ લીધી હતી. તેણે આ સિઝનમાં 53.2 ઓવર ફેંકી અને 383 રન આપ્યા. તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સ્ટાર બોલર માનવામાં આવતો હતો. પરંતુ આ સિઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને મુંબઈની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં તળિયે રહી હતી.

Related Articles

Back to top button