Trending NewsWeather

ગુજરાતમાં ફરી જામશે ચોમાસું! બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય

આજે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની અપેક્ષા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધશે.

આજે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની અપેક્ષા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધશે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી બહુ ઓછો વરસાદ પડશે. કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. આગામી 8-9 થી વરસાદની ગતિવિધિ વધશે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.


મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, 7 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક સરક્યુલેશન સક્રિય થશે, જે 8 સપ્ટેમ્બરે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. તેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થશે. સતત વરસાદ બાદ વાદળો દૂર થતાં તાપમાનમાં થોડો વધારો થશે. હાલમાં અમદાવાદ શહેરમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે, જે વધીને 36-37 ડિગ્રી થઈ શકે છે. હાલમાં કોઈ વાવાઝોડાની ચેતવણીઓ નથી.

હવામાન નિષ્ણાતો સામાન્ય રીતે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દેશમાંથી ચોમાસાની વિદાયની આગાહી કરે છે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દેશના ઉત્તર-પશ્ચિમ ખૂણેથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે.


આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થશે. આ વર્ષે ખેલૈયાઓએ પણ નવરાત્રીમાં ધમાકેદાર તૈયારીઓ કરી લીધી છે. ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે આયોજકો દ્વારા નવરાત્રીમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કારણ કે કોરોના પછી પ્રથમવાર નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવશે. જો કે નવરાત્રિ દરમિયાન હવામાન કેવું રહેશે તેના પર પણ સૌની નજર છે. નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં તેની ચિંતા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ વિવિધ ભાગોમાં વરસાદ પડશે.

Related Articles

Back to top button