રાજસ્થાનઃ રાજસ્થાનના અંબાજીથી રામદેવરા જઈ રહેલા શ્રદ્ધાળુઓને થયો અકસ્માત, 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ.

ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે.
ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જતા યાત્રાળુઓ સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે. ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. તેમજ સુમેરપુરના નેશનલ હાઈવે પર પાલડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 25 જેટલા લોકો ઘાયલ થયા છે. બનાસકાંઠાના દાતા તાલુકાના કુકડી ગામના 25 યાત્રાળુઓ રામ દેવરા જઈ રહ્યા હતા. આદિવાસી સમાજના લોકો પૂજા કરવા રામદેવરા જતા હતા.
અકસ્માતમાં, 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
શુક્રવારે મોડી સાંજે પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર સાથે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને સુમેરપુર અને શિવગંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય સંયમ લોઢા ઘટનાસ્થળે પહોંચ્યા
માહિતી બાદ સુમેરપુર પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલમાં હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ છે. ઘટનાસ્થળે ઘાયલોની ચીસો છે. સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢા અને જિલ્લા કલેક્ટર ડૉ.ભંવરલાલ ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.