ગુજરાતમાં વરસાદની લાઈવ અપડેટઃ આગાહીના કારણે કેટલાય શહેરો રેડ એલર્ટ પર
Live updates of rain in Gujarat: Several cities on red alert due to forecast
ગુજરાત ચોમાસું 2022 : આજે ગુજરાતના 7 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદની હવામાનની આગાહી… મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી… 10 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી..
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દમણમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, નવસારી, સુરેન્દ્રનગર, મોરબી, પંચમહાલ, દાહોદ, કચ્છ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ હિંમતનગરમાં આજે 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના પાલિકા રોડ, શારદાકુંજ વિસ્તાર અને મારુતિનગરમાં ભારે વરસાદને કારણે વાહનચાલકો અને લોકોને ભારે નુકસાન થયું હતું.
હિંમતનગરમાં 4 ઈંચ વરસાદ પડ્યો
આજે સવારે હિંમતનગરમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે પાલિકા રોડ, શારદાકુંજ વિસ્તાર, મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. હિંમતનગરના દલપુરમાં વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. હડિયોલ ગામનો બોરિયા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
તો મહેસાણાના ઊંઝામાં પણ આજે સવારે ભારે વરસાદનું આગમન થયું હતું. વરસાદ પડતાં અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. અંડર પાસમાં પાણી ભરાવાને કારણે એક સ્કૂલ બસ અંડર પાસમાં પલટી ગઈ હતી. સ્કૂલ બસ અંડર પાસમાં ફસાઈ ગઈ હતી.
10 અને 11 ઓગસ્ટની વરસાદની આગાહી
હવામાન વિભાગના અપડેટ મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આજે છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે, કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. નવસારી, ડાંગ સહિત સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 10 અને 11 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, દમણ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને ચેતવણી
વરસાદની આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠાના માછીમારો માટે આગામી 5 દિવસ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે.