ISANPUR:પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસઃ મંદિર પાસે વાછરડાના ભાગ ફેંકાયા
ISANPUR:Attempt to hurt religious sentiments in the holy month of Shravan: Calf parts thrown near temple
અમદાવાદ, તારીખ 05 ઓગસ્ટ 2022, શુક્રવાર
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઇસનપુર ગોવિંદવાડી પાસે બનેલી આ ઘટનાને પગલે મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ દાવો કર્યો છે કે એક્ટિવા પર બે શખ્સોએ આ કૃત્ય કર્યું હતું.
ઇસનપુર ગોવિંદવાડી પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા લોકોએ ગાયના વાછરડાના કપાયેલા ભાગો ફેંકી દીધા હતા અને ભાગી ગયા હતા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ઈસનપુર બંધના એલાન સાથે ધરણા કર્યા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી