સૌથી મોટા સમાચાર: કાશ્મીરમાં 39 જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી- સાતથી વધુ જવાનો શહીદ ‘ઓમ શાંતિ’
Biggest news: Bus full of 39 jawans plunges into deep valley in Kashmir - more than seven jawans martyred 'Om Shanti'
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ITBPના જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી છે. આ બસમાં કુલ 39 જવાન હતા. તેમાંથી 37 જવાન ITBPના અને 2 જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જવાનો ચંદનવાડીથી પહેલગામ જઈ રહ્યા હતા. આ મામલામાં ઘણા જવાનોના મોત થયા હોવાની આશંકા છે. આ જવાનોને અમરનાથ યાત્રા દરમિયાન તૈનાત કરવામાં આવ્યા હતા. આશંકા છે કે 7 થી વધુ લોકો શહીદ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે અનેક જવાન ઘાયલ થયા છે. તેમને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. અમરનાથ યાત્રા હમણાં જ પૂરી થઈ છે. આવી સ્થિતિમાં, આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળો પોત-પોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જવાનો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ બ્રેક ફેલ થવાના કારણે બસ ખીણમાં પડી હતી. બસ નદી કિનારે ઘણી નીચે ખીણમાં પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ઘણું નુકસાન થવાની સંભાવના છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી તે ITBPની બીજી બસ પાછળ જઈ રહી હતી. તેમાં કમાન્ડો હતા. આગળની બસ અથડાતાં જ બીજી બસમાં બેઠેલા કમાન્ડો નીચે ઉતરી ગયા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી.
જણાવવામાં આવી રહ્યું છે કે જે સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે તેમને સારવાર માટે પહેલગામ મોકલવામાં આવ્યા છે. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરીને શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. ITBP અકસ્માતની તપાસનો આદેશ આપી શકે છે, એવું કહેવાય છે. આ મામલે કોઈ આતંકવાદી ષડયંત્ર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.